News of Friday, 4th December 2020
વડોદરા:પુત્રના લગ્ન કરાવવા ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.70 લાખની ઉઠાંતરી કરી
વડોદરા:પુત્રના લગ્ન કરવા માટે મકાન બંધ કરીને વતન વારાણસી ગયેલા પરિવારના મકાનમાંથી ચોરી કરનાર ત્રિપુટીને વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. આરોપીઓએ ત્રણ દિવસની કબૂલાત કરી છે. અને પોલીસે તેમની પાસેથી ૧.૭૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્ય છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વારસિયા વિમા દવાખાનાની બાજુમાં રહેતા સુનિલભાઈ ચંદુલાલ ઉપાધ્યાય પુત્રના લગ્ન કરવા માટે પરિવાર સાથે વારાણસી ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનનો દરવાજો તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના કિંમત રૃપિયા ૫૨,૫૦૦ના ચોરી ગઈ હતી. જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
(4:47 pm IST)