News of Friday, 4th December 2020
અભયભાઇનું યોગદાન કયારેય નહીં વિસરાય : ગોરધનભાઇ ઝડફીયા
રાજકોટ તા. ૪ : ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ તેમજ ગુજરાત ભૂતપૂર્વ ગૃહપ્રધાન ગોરધનભાઇ ઝડફીયાએ રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજના અવસાન બદલ દુઃખની લાગણી વ્યકત કરતા જણાવેલ કે અભયભાઇના જવાથી સંસદ જ નહીં પણ પક્ષ, સંઘ સહીતના સમાજના વિવિધ ક્ષેત્રના વર્ગો મંડળોને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
સૌ માટે મોટાભાઇની ભુમિકા સારનાર અભયભાઇ કિસાન સંઘના વાલી તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે. કિસાનોના પ્રશ્ને થયેલા કેસોમાં એક ધારાશાસ્ત્રી તરીકે સંકટમોચક બની રહેતા. તેમનું યોગદાન કયારેય નહીં વિસરી શકાય. તેમ જણાવી શ્રી ઝડફીયાએ શોકાંજલી અર્પી છે.
(11:23 am IST)