નડિયાદ પંથકમાં અક્સમાતના બે જુદા-જુદા બનાવમાં બે જણા મોતને ભેટ્યા
નડિયાદ: ખેડા જીલ્લાના માતર અને કઠલાલ વિસ્તારમાં બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. માતર નજીક લાકડા ભરેલ ટ્રેક્ટરે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત. જ્યારે કઠલાલ પાસે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યું હતું.આ બન્ને બનાવ અંગે હદ ધરાવતા પોલીસ મથકોએ ફેટલ અકસ્માતની નોંધ કરાઈ છે.
પહેલો બનાવ માતર પંથકમાં બન્યો હતો. તાલુકાના માલાવાડા ગામે હિરેનભાઈ વિષ્ણુભાઈ પટેલ (ઉં.વ.૩૨) રહેતા હતા. તેઓ પોતે અમદાવાદમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. ગઈકાલે રાત્રે હિરેનભાઈ પોતાનું મોટર સાયકલ નં.જી.જે.૭ બી.૬૪૦૪ ચલાવીને નોકરી ઉપરથી પરત પોતાના ગામે જતાં હતા. ત્યારે માતર-માછીયેલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમ્યાન પુર પાટે આવી રહેલ લાકડા ભરેલ ટ્રેક્ટર નં.જી.જે.૭ બી.આર.૮૦૯૧ના ચાલકે હિરેનભાઈના મોટર સાયકલને ટક્કર મારી હતી. આથી હિરેનભાઈ મોટર સાયકલ સાથે રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેથી તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વિષ્ણુભાઈ ચુનીભાઈ પટેલે માતર પોલીસ મથકે ઉપરોક્ત ટ્રેક્ટર ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.