મહાત્મા ગાંધી દ્વારનું ટૂંકમાં લોકાર્પણ તથા ઉજવણી થશે
યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમો યોજાશે
અમદાવાદ,તા.૪ : ગુજરાત યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવેલા મહાત્મા ગાંધી દ્વારનું આગામી દિવસોમાં લોકાર્પણ એટલે કે ખુલ્લો મુકાશે. કેએસ સ્કુલ ઓફ બિઝનેશ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીની રજાઓ બાદ યુનિવર્સિટીના મુખ્ય ભવનમાં કુલપતિ અને ઉપકુલપતિ, રજિસ્ટ્રાર કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજીની રંગોળીનું નિરૂપણ કરવામાં આવનાર છે. ગાંધીજીના ૧૫૦ વર્ષના ઉપલક્ષ્યમાં ૨૩ ઓક્ટોબરના રોજ યુનિવર્સિટીના તમામ ભવનો, વિભાગોમાં સઘન સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી, જન-શિક્ષણ સંસ્થાન, સમાજવિદ્યાભવન, ફિલોશોફી વિભાગ દ્વારા વિવિધત્તા કાર્યક્રમો ગાંધી વિચારને યુવામાનસમાં પ્રસરાવવા યોજાયા હતા. આગામી દિવસોમાં પણ ગાંધીજી અને યુવાનોને સાંકળી ગુજરાત યુનિવર્સિટી કાર્યક્રમો યોજાશે.