News of Friday, 4th October 2019
દશેરા પહેલા અમદાવાદ આરોગ્ય વિભાગ જાગ્યું : ફરસાણની દુકાનોમાં ચેકીંગ : ફૂડ સેમ્પલ લીધા
અમદાવાદ : દશેરા પહેલા અમદાવાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસો બાદ દિવાળીનો પર્વ આવશે. ત્યારે આ તહેવારોની સિઝનમાં લોકો હજારો કિલોની મીઠાઈઓ, ફરસાણ આરોગતા હોય છે. તેવામાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેવા હેતુથી અમદાવાદમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે અને શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરીને ફૂડ સેમ્પલ લીધા.હતા
(11:44 pm IST)