ગુજરાત
News of Friday, 4th October 2019

મઘરોલમાં ઢોલ વગાડવાની ના કહેવા બાબતે એકને ધારીયું માર્યું

સોજીત્રા તાલુકાના મઘરોલ ગામની ઊંટીયાપુરા સીમમાં રહેતો વિનુભાઈ રાજાભાઈ રાઠોડ આજે સવારના ૧૧ કલાકે શક્તિમાતાના મંદિર પાસે બેઠો હતો. થોડીવારમાં ભલુભાઈ ડાહ્યાભાઈ રાવળ ત્યાં આવી ચઢ્યો હતો અને ઢોલ વગાડવાનું ચાલુ કર્યું હતુ.

દરમ્યાન ભરતભાઈ રમણભાઈ રાઠોડ, જયંતિભાઈ રમણભાઈ રાઠોડ, કનુભાઈ રમણભાઈ રાઠોડ અને અજયભાઈ જયંતિભાઈ રાઠોડ આવી ચઢ્યા હતા અને વિનુભાઈને જણાવ્યું હતુ કે, તેં ભલુભાઈને ઢોલ વગાડવાની ના પાડી હતી. જેથી વિનુભાઈએ ના પાડતાં ભરતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસેનુ ંધારીયું મારતાં ડાબા હાથે ઈજાઓ થવા પામી હતી. ત્યારબાદ ચારેયે ભેગા મળીને ગડદાપાટુનો માર માર્યો હતો. અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

 

(5:52 pm IST)