ગુજરાત
News of Friday, 4th October 2019

અમદાવાદમાં હડતાળ બાદ રિક્ષાચાલકોને RTOનું આશ્વાસન: કહ્યું પ્રશ્નો ઉકેલવા માટે તંત્ર પ્રયત્નશીલ

આરટીઓના અધિકારીઓ અને રિક્ષાચાલકો વચ્ચે બેઠક યોજાઈ

અમદાવાદમાં રીક્ષા ચાલકોએ તેમના પડતર પ્રશ્નોને લઈને તેમજ નવા ટ્રાફીક નિયમના દંડને લઈને એક દિવસીય સ્વયંભૂ બંધ પાડયુ હતું  જેમાં શહેરની મોટાભાગની રીક્ષાના ચાલકો જોડાયા હતા ત્યારે બીજી તરફ શહેરમાં સ્વયંભૂ બંધ છતાં પણ દોડતી રીક્ષા રોકીને બંધ પાડનાર રીક્ષા ચાલકોએ ગુલાબનું ફુલ આપીને સહકાર આપવા અપીલ કરી હતી  આ બાદમાં લોકોની મુશ્કેલી ન પડે તે માટે આરટીઓના અધિકારીઓ અને રિક્ષાચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી.

આ મીટિંગમાં રિક્ષાચાલકોને પ્રશ્નો ઉકેલવા તંત્ર પ્રયત્નશીલ હોય તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. માત્ર રિક્ષાચાલકોને અન્યાય થતી હોવાની ફરિયાદો ઉઠી હતી અને તેને લઈને આ મીટિંગ યોજાઈ હતી.

(10:24 pm IST)