અમદાવાદના સોલામાં વેપારીના ઘરમાંથી 10 લાખની કિંમતના દાગીનાની ચોરી થતા પત્ની સહીત પ્રેમી પર પતિની શંકા: પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરના સોલામાં રહેતા વેપારીના ઘરમાંથી રૂ.10 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. તેમણે ચોરી પાછળ તેમની પત્ની અને તેના પ્રેમીનો હાથ હોવાની શંકા સાથે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સોલામાં હાર્મની હોમ્સ વિભાગ-4માં રહેતાગિરીશભાઈ પી.પટેલ(38) તેમની પત્ની અને બાળકો સાથે રહે છે અને વિરમગામ ખાતે ફેક્ટરી ધરાવી વેપાર કરે છે. ત્રણેક મહિના અગાઉ પત્નીનો ફોન અવારનવાર વ્યસ્ત આવતા આ બાબતે પુછતા પત્નીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.
તે સિવાય આ મારૂ મકાન છે અને તમે તમારા છોકરાઓને લઈને જતા રહો, એમ કહેતા ગિરીશભાઈને શંકા ગઈ હતા. જોકે તેઓ બાળકો સાથે તેમના માતાપિતાને ત્યા રહેવા જતા રહ્યા હતા. જ્યારે પત્ની સેજલબહેન તેમના સાયન્સ સિટી રોડ પરના સહજાનંદ સ્ટેટસના મકાનમાં એકલા રહેતા હતા.
ગિરીશભાઈએ પોતાની કરીતે તપાસ કરતા તેમના પત્નીને વીસનગર ખાતે રહેતા ધીરજ પ્રજાપતી નામના છોકરા સાથે અફેર હોવાનું તથા 29 જુનથી મકાન બંધ કરીને તેના માતાપિતાના ગાંધીનગરના ઘરે રહેવા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.