News of Monday, 4th July 2022
નર્મદા સુગર ના સિકયુરિટી ઓફીસર હાર્ટ એટેક થી મોત થતાં ચેરમેન ઘનશ્યામભાઈ સિવિલમાં દોડી આવ્યા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં ખેડૂતોની જીવાદોરી સમાન ધારિખેડા સુગર ફેકટરીનાં સિક્યુરિટી ઓફિસરનું આજે હાર્ટ એટેક નાં હુમલાથી મોત થતાં સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ રાજપીપળા સિવિલ ખાતે દોડી આવ્યા હતા
સિકયુરિટી ઓફીસર સુખચરણસીંગ ગાંન્ગ ધારિખેડા સુગર ફેકટરીમાં સિકયુરિટી ઓફીસર તરીકે 1996 નાં વર્ષમાં સુગર ફેક્ટરી શરૂ થઈ ત્યારથી લગભગ 26 વર્ષથી સુગરમાં ફરજ બજાવતા હતા તેમને આજે સવારે અચાનક છાતીમાં દુખાવો થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા સુગર નાં હોદેદારો અને કર્મચારી ઓમાં શોકની લાગણી વ્યાપી છે.તેમના મોતની જાણ થતાં સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,એમડી સહિતનો સ્ટાફ સિવિલ માં દોડી આવ્યો હતો.
(10:22 pm IST)