નડિયાદના કપડવંજમાં પૈસાની લેતી દેતી મામલે ધોળા દિવસે માતા-પુત્રની કરપીણ હત્યાથી અરેરાટી
નડિયાદ:આજે બપોરે કપડવંજમાં પૈસાની લેતી દેતી અંગે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના એક મધ્યમવર્ગીય પરિવાર પર ધોળા દિવસે થયેલા હૂમલામાં વયોવૃદ્ધ માતા અને આધેડ પુત્રના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે તાત્કાલીક એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી સધન તપાસ હાથ ધરી છે.
કપડવંજમાં રેલ્વે સ્ટેશન નજીક કાંતા ટ્રેડર્સની ચાલીમાં ઘર નં. ૬માં ૭૦ વર્ષિય ચંદ્રિકાબેન બંસીભાઇ સામંતાણી રહેતા હતા. તેમની સાથે તેમના૪૫ વર્ષના દિકરા શ્યામભાઇ બંસીભાઇ સામંતાણી અને પુત્રવધુ અનિતાબેન સામંતાણી (ઉં.૪૨) સાથે રહેતા હતા. શ્યામભાઇની કપડવંજના મીનાબજારમાં કુબેરજીની ચોકડી પાસે સત્યમ એગ્રો સર્વિસ નામની ખાતરની દુકાન છે.