News of Monday, 4th June 2018
કરજણમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસને અકસ્માત :બે મુસાફરોને ઇજા
વડોદરામાં કરજણમા શ્રદ્ધાળુઓ ભરેલી બસને અકસ્માત થતા બે મુસાફરોને ઇજા પહોંચી છે મળતી વિગત મુજબ હાલ અધિકમાસ હોઈ કેટલાક શ્રદ્ધાળુઓ પ્રવાસે નીકળ્યા હતા. તેમની બસને કરજણ પાસેના ઓજ ગામે અકસ્માત નડ્યો હતો. ઓજ ગામે લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેને કારણે બસમાં સવાર શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. મુસાફરોને નાનીમોટી ઈજા પહોંચી હતી.તેમને સારવાર માટે તાત્કાલિક કરજણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ અધિક માસના મેળામાં આવ્યા હતા.
(11:44 am IST)