News of Saturday, 4th April 2020
કર્ણાટકમાંથી આવીને શાહપુર મસ્જિદમાં રોકાયેલાં 16 શંકાસ્પદોને પોલીસે પકડ્યા: હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદમાં કાલુપુરમાં રહેતાં અને દિલ્હી જમાતમાં પરત આવેલાં વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેનાં પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. દિલ્હી તબગીલી જમાતને પગલે અમદાવાદમાં સતત પોલીસ દિલ્હી જઈ આવેલાં લોકોની તપાસ કરી રહી છે. તેવામાં શાહપુરમાં આવેલી મસ્જિદમાં બહારથી આવેલાં લોકો રોકાયા હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા.
(10:36 pm IST)