ગુજરાત
News of Thursday, 4th March 2021

FSL ખાતે પોલીગ્રાફ પધ્ધતીથી છેલ્લા બે વર્ષમાં ૪૩ કેસોમાં પૃથ્થકરણ કરાયુઃ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ :વિવિધ પ્રકારના જટીલ ગુનાઓમાં ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદથી પોલીગ્રાફ પધ્ધતિથી કેસોનું પૃથ્થકરણ કરી ગુનાના ભેદ ઉકેલવામાં સહાય મળતી હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

 વિધાનસભામાં પોલીગ્રાફ પધ્ધતિ દ્વારા કેસોના પૃથ્થકરણ અંગેના પ્રશ્નમાં પ્રત્યુતર આપતા ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પોલીગ્રાફ ટેસ્ટ એટલે કે લાઇ ડિટેકટર ટેસ્ટ મારફતે વ્યક્તિના મનો શારીરિક પ્રક્રિયાના આધારે ધબકારા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શરીરનું હલન ચલન તથા પરસેવો છુટવાના દરનું માપન કરવામાં આવે છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે આ સાય

(6:57 pm IST)