News of Thursday, 4th January 2018
અમદાવાદના ઘાટલોડિયામાં વસંતભાઈ ખત્રીનો ગળેફાંસો ખાઈ આપઘાત
પોતાના ઘરમાં જ પંખાના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાદ્યો :લાશને પીએમ માટે મોકલાઈ
અમદાવાદ;શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સાંઇબાબાના મંદિર પાછળ ભૂમિનગર પાસે આવેલા સુદર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા વસંતભાઇ ચંપકલાલ ખત્રી નામના પ૭ વર્ષીય આધેડે બપોરના એક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ પંખાના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની જાણ થતાં જ પોલીસે પહોંચી જઇ લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી હતી આત્મહત્યા કરનારના ઘરના સભ્યો અને આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી નિવેદન લીધાં હતાં,
(10:55 pm IST)