ગુજરાત
News of Thursday, 4th January 2018

અમદાવાદના ઘાટલોડિયામાં વસંતભાઈ ખત્રીનો ગળેફાંસો ખાઈ આપઘાત

પોતાના ઘરમાં જ પંખાના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાદ્યો :લાશને પીએમ માટે મોકલાઈ

અમદાવાદ;શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સાંઇબાબાના મંદિર પાછળ ભૂમિનગર પાસે આવેલા સુદર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા વસંતભાઇ ચંપકલાલ ખત્રી નામના પ૭ વર્ષીય આધેડે બપોરના એક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં પંખાના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
 
બનાવની જાણ થતાં પોલીસે પહોંચી જઇ લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી હતી આત્મહત્યા કરનારના ઘરના સભ્યો અને આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી નિવેદન લીધાં હતાં,

(10:55 pm IST)