ગુજરાત
News of Thursday, 4th January 2018

સુરતમાં પૂણેની હિંસાના વિરોધમાં દલીતો દ્વારા કલેકટર કચેરીને ઘેરાવ

દલીત સમાજ દ્વારા રેલી, ઉધના સહિતના વિસ્તારોમાં સુત્રોચ્ચાર

સુરત તા. ૪: પૂણેની હિંસાના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા છે. સુરતમાં દલિતો દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો.

સુરતમાં દલિત સંગઠનોએ રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમાથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી અને મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો દ્વારા કલેકટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન દલિત સમાજના લોકોએ રોડ પર આવીને ચકકાજામ કર્યો હતો. ચકકાજામ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

દલિત સંગઠનોએ સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે એક પેસેન્જર ટ્રેનને તેમજ માલગાડીને અટકાવી હતી. આજે કલેકટર કચેરી બહાર લોકો રસ્તા પર સૂઇને નારેબાજી કરી હતી.

(4:25 pm IST)