વડોદરામાં ખેંચની બીમારીથી કંટાળી પ્રૌઢે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
વડોદરા: ખેંચની બીમારીથી કંટાળીને કિશનવાડીમાં રહેતા પ્રૌઢે ઘરે પંખાના હુકમાં સાડીનો ગાળિયો બનાવી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા ૫૦ વર્ષના મનુભાઇ ફોગટભાઇ પરમારને ખેંચની બીમારી હતી.અવાર - નવાર આવતી ખેંચના કારણે તેઓ કંટાળી ગયા હતા.ગઇકાલે સાંજે તેમણે ખેંચની બીમારીથી કંટાળીને ઘરે જ પંખાના હુકમાં સાડીનો ગાળિયો બનાવી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે વારસિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં સમા ગામ બસ સ્ટેન્ડ પાસે ભરવાડ વાસમાં રહેતા ગીતાબેન વિપુલભાઇ ભરવાડે ગઇકાલે બપોરે બે વાગ્યે ઘરે બેડરૃમમાં છતના હુક પર ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.પરિણીતાના આપઘાતનું કારણ જાણવા માટે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.