નર્મદા માં કાર્યરત નોંધારાનો આધાર પ્રોજેકટ વડોદરામાં શરૂ કરવા વડોદરા ભાજપ ની ટીમને માર્ગદર્શન અપાયું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કાર્યરત નોંધારા નો આધાર પ્રોજેક્ટ હાલ સમગ્ર ગુજરાત માં જ જાણીતો થયો છે જેથી આ પ્રોજેક્ટ અન્ય જિલ્લા માં શરૂ કરવાની તૈયારીઓ થઈ થઈ હોય વડોદરા ભાજપ ની ટિમ રાજપીપળા ખાતે આવી નર્મદા નોંધારા પ્રોજેકટ ની ટિમ પાસેથી આ બાબતે પ્રોજેક્ટ વિષે માહિતી મેળવી હતી.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા સંચાલિત "નોંધારા નો આધાર" પ્રોજેકટ ટુંક સમયમાં વડોદરા શહેર માં ચાલુ કરવાની કામગીરીના ભાગરૂપે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપલા ની ટિમ દ્વારા વડોદરા ભાજપા ની "નોંધારા ના આધાર" માટેની ટિમ ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું,જેમાં વડોદરા ભાજપાના પ્રમુખ ડો.વિજય શાહ, પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી, સુમિત ભાઈ શાહ, નિમેશભાઈ પંડ્યા, નિતાઈભાઈ ગાંધી, પુરષોત્તમભાઈ હેમનાની, મનોજભાઈ ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.