૧૫ ડિસેમ્બરે નરેન્દ્રભાઈ કચ્છની મુલાકાતે આવશે : વિજયભાઈ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પત્રકારોને જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૫ ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યું છે : તેઓ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કનો કચ્છના રણ ખાતે શિલાન્યાસ કરશે : ઉપરાંત માંડવી ખાતે ડીસેલીનેશન પ્લાન્ટનું (દરિયાના ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવવું) પણ ખાતમુહૂર્ત કરશે : આ પહેલા ૧૨ નવે. મુખ્યમંત્રીશ્રીએ કચ્છની વિઝીટ વખતે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છ ખાતેના વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગા વોટ અને સોલાર અને વિન્ડ રીન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે : આ સુચિત પાર્ક માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયાનું વિજયભાઈએ જણાવેલ : આ પહેલાના અહેવાલો મુજબ શ્રી નરેન્દ્રભાઈ ૧૪ અને ૧૫ બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યું છે અને કચ્છના ધોરડો ખાતે તેઓ રાત્રી રોકાણ કરે તેવી પૂરી સંભાવના છે.