ગુજરાત
News of Tuesday, 3rd December 2019

રાજ્યમાં 16 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓની બદલી

રાજકોટના કુ. વી. એમ. યાદવને નડિયાદ,અમરેલીના બી,એમ,સોલંકીને ભાવનગર મુકાયા

અમદાવાદ : રાજ્યમાં 16 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ ( વર્ગ-2 )ની બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટના કુ, વી,એમ,યાદવને નડિયાદ અને ,અમરેલીના બી,એમ,સોલંકીને ભાવનગર મુકાયા છે જયારે ગોધરાના આઈ,એસ,ટાંકની અમરેલીમાં બદલી કરાઈ છે અને ભુજના ઉત્તમ બાબુલાલ સોલંકીને જૂનાગઢમાં મુકાયા છે

(9:40 pm IST)