રાજકોટની પ્રોજેક્ટ લાઈફ સંસ્થા દ્વારા શ્રી ગૌતમેશ્વર વિદ્યામંદિર ગુંજાલા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી બિરદાવવામા આવ્યા
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ:રાજકોટની પ્રોજેક્ટ લાઈફ સંસ્થા દ્વારા શ્રી ગૌતમેશ્વર વિદ્યામંદિર ગુંજાલા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટથી પ્રભુભાઈ ગોહિલ હાજર રહ્યા હતા. વિવિધ કાર્યક્રમોમાં ગીત સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,સ્લો સાયકલીંગ, ગ્રુપ ડાન્સ તેમજ અન્ય રમત ગમત સ્પર્ધાઓ યોજાઇ હતી.
વિજેતાઓને મુખ્ય મહેમાન તથા શાળાના આચાર્ય ડી બી પટેલ સાહેબ, મંત્રી રમેશભાઈ તેમજ ટ્રસ્ટી અજીતભાઈ શાહ, પ્રવીણભાઈ શાહ દ્વારા પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા.
કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચ, ડેલિકેટ હાજર રહ્યા હતા.શાળાના તમામ શિક્ષકો તેમજ કર્મચારીગણે કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યશસ્વી યોગદાન આપ્યું હતું.