News of Tuesday, 3rd December 2019
તલાટી મહામંડળ અને પ્રધાનો વચ્ચેની બેઠક અનિર્ણાયકઃ આંદોલન યથાવત
મોબાઇલ પર હાજરી નહિ જ, અન્ય વિકલ્પ મળે તો વિચારણા
ગાંધીનગર તા. ૩ :.. આજે અહીં તલાટી મહામંડળ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલ તથા પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર વચ્ચે બેઠક યોજાયેલ. તલાટી મહામંડળે તલાટી એટેન્ડન્સ સિસ્ટમથી હાજરી પુરવાની પધ્ધતિનો વિરોધ કરી આંદોલનાત્મક કાર્યક્રમો યથાવત રાખ્યા છે.
આજે મહાસંઘ અને મંત્રીઓ વચ્ચેની બેઠક અનિર્ણાયક રહી છે. મહામંડળના પ્રમુખ ભરતભઇ આહીરે જણાવેલ કે મોબાઇલ ફોન દ્વારા હાજરીનો અમે વિરોધ કર્યો છે. વિકલ્પે અન્ય કોઇ પધ્ધતિ હોય તો વિચારવા તૈયાર છીએ. હાલના તબકકે બેઠક અનિર્ણાયક રહી છે. અમે જાહેર કરેલા આંદોલનના કાર્યક્રમો યથાવત છે.
(4:35 pm IST)