ગુજરાત
News of Saturday, 3rd November 2018

ગળતેશ્વરના વસોમાં પરિણીતા પર દહેજ઼રમાં મામલે સાસરિયાનો ત્રાસ:ઘરમાંથી કાઢી મુકતા 6 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગળતેશ્વર: તાલુકાના વસોમાં રહેતી એક પરિણીતાને રૂપિયા ચાર લાખના દહેજ બાબતે તેના પતિ તેમજ ઘરના પાંચ સભ્યોએ શારિરીક તેમજ માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકતાં પરિણીતાએ સેવાલીયા પોલીસમાં ફરીયાદ આપી છે. 

મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના વસોમાં રહેતાં ભૌમિકભાઈ અનિલભાઈ પટેલના લગ્ન અંગાડી ખાતે રહેતાં ઉમેદભાઈ પટેલની પુત્રી ગાયત્રીબેન સાથે થયા હતાં. લગ્નના શરૂઆતના દિવસો સુખમય ગયા બાદ તેના પતિ તેમજ ઘરના સભ્યોએ તુ દહેજ ઓછુ લાવી છું. કહી ત્રાસ આપતાં હતાં. જા તારા પિતાના ઘરેથી રૂપિયા ચાર લાખ લઈ આવ નહી તો જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી મારઝુડ કરી ઘરેથી કાઢી મુકી હતી. આ બાબતે ગાયત્રીબેને સેવાલિયા પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ભૌમિકભાઈ અનિલભાઈ પટેલ, અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, પરાગભાઈ અનિલભાઈ પટેલ, કલ્પનાબેન અનિલભાઈ પટેલ, જયંતિભાઈ મુળજીભાઈ પટેલ અને ધિરેનભાઈ મુળજીભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

(4:59 pm IST)