પેટલાદમાં સાયકલ લઈને કામે જતા મજૂરનું કારની હડફેટે કમકમાટીભર્યું મોત: કાર ચાલક વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો દાખલ
પેટલાદ: તાલુકાના રૂપિયાપુરા ગામે આવેલા વણકરવાસમાં રહેતા રેવાભાઈ મથુરભાઈ વણકર ગઈકાલે સવારના ૧૧ વાગ્યાના સુમારે સાયકલ લઈને કામ અર્થે સીમરડા ગામની બેન્કમાં જવા નીકળ્યા હતા. તેઓ રૂપિયાપુરા તાબે લ-મીપુરા પાસે આવેલી પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી વેગનઆર કાર નંબર જીજે-૨૩, ૯૦૦૯ના ચાલકે ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના રહીશો તુરંત જ મદદે દોડી આવ્યા હતા અને ઘવાયેલા રેવાભાઈને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં બપોરના સુમારે તેમનું મોત થયું હતુ. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.