News of Thursday, 3rd October 2019
અમદાવાદના ખાદી સરીતા ખાતે ખાદી વેંચાણનો પ્રારંભ
અમદાવાદ : ખાદી સરીતામાં ખાદી વેચાણ ઝુંબેશનો પ્રારંભ જાણીતા લેખક ચિંતક શ્રી રઘુવીરભાઇ ચૌધરી, રાજય કાર્યાલય કે.વી.એલ.સી.ના ડે. સી.ઇ.ઓ. શ્રી હેડાઉ, વિદ્યાપીઠના કુલનાકય શ્રી અનામિકભાઇ શાહ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહમંત્રી પરાગભાઇ ત્રિવેદી, અક્ષય શાહ, શ્રીમતી અનાર શાહ, સરિતા વ્યવસ્થાપક દિપેશ બક્ષીના હસ્તે દીપપ્રાગટય કરીને કરવામાં આવેલ. પૂ. મહાત્મા ગાંધીને સૂતાંજલી - પૂષ્પાંજલી અર્પણ કરાઇ હતી. આ પહેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ વિદ્યાપીઠના ભાઇ બહેનોએ સફાઇ ઝુંબેશ ચલાવી હતી.
(3:11 pm IST)