સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો અસર જોવા મળતા રત્નકલાકારોએ જુગારનો સહારો લીધો: રાધિકા રેસિડેન્સીમાંથી પોલીસે 8 જુગારીઓની ધરપકડ કરી: 86 હજારનો મુદામાલ ઝડપાયો
સુરત:હીરા ઉદ્યોગમાં મંદીની બુમરાણ વચ્ચે અમરોલી-છાપરાભાઠા રોડની રાધિકા રેસીડેન્સીમાંથી જુગાર રમતા 8 રત્નકલાકાર ઉપરાંત હજીરા રોડના જુનાગામમાંથી 8 જણાને જુગાર રમતા ઝડપી પાડી પોલીસે કુલ રૂ. 86780 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત રાધિકા રેસીડેન્સીમાં આર.કે.પાન સેન્ટર સામે જાહેરમાં જુગાર રમતા કિશોર જયંતિ વિરજા, રાજેશ બાબુ મોરડીયા, પારસ સુરેસ સુતરીયા, પ્રવિણ ગોવિંદ કાસોદરીયા, કલ્પેશ શંભુ કેવડીયા, દિલીપ બાબુ બોદરા, જીગ્નેશ ભરત કુંજડીયા અને બિપીન કાળુભાઇ ભીખડીયા (તમામ રહે. રાધિકા રેસીડેન્સી, છાપરાભાઠા રોડ) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી ૩ મોબાઇલ ફોન અને જુગારની રમતના તથા અંગ જડતીના મળી કુલ રૂ. 58,280 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.