News of Monday, 3rd September 2018
વડોદરાના નાગરવાડામાં બે યુવકોના શંક્સ્પદ મોત :લઠ્ઠાકાંડની આશંકાએ જોર પકડ્યું
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં બે યુવકાનો શંકાસ્પદ મોત બાદ લઠ્ઠાકાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. નાગરવાડા વિસ્તારમાં નવી ધરતી, ગોલવાડ, રાણાવાસ સહિતના વિસ્તારોમાં દેશી દારુનુ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ છે. આ વિસ્તારમાં બે શખ્સોના મોત બાદ લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સુરેશ પરમાર નામના મૃતકના ખિસ્સામાંથી દેશી દારૂની પોટલી મળી આવી હતી જ્યારે બીજા મૃતક મહેશ માળીની તબિયત લથડતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ડોક્ટરોના મતે મહેશનું લીવર ફાટી ગયુ હતું. આ મામલે માથાભારે શખ્સોની બીકે અથવા સમાજમાં આબરુ ન જાય તે માટે પરિવારજનો બોલવા તૈયાર નથી. પરંતુ કથિત લઠ્ઠાકાંડની ચર્ચાને પગલે અહી ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરી દેવાયા છે.
(7:23 pm IST)