ગુજરાત
News of Friday, 3rd July 2020

અમદાવાદના ગોમતીપુરમાં વેપારી પર જીવલેણ હુમલો : ત્રણ અસામાજિક તત્વો બેઝ બોલના દંડાથી તૂટી પડ્યા

હુમલાખોરો માંથી એક આરોપી બુટલેગર : પાસા પણ કાપી ચુક્યો છે

અમદાવાદ : શહેરના  ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાશી બાઈ ની ચાલી પાસે ત્રણ શખ્શોએ બેઝ બોલના  દંડા વડે એક વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત પામેલા વેપારીને નારોલ ના જનકલ્યાણ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્ત બનેલા જમીલ ભાઈ પાસેથી મળેલી માહિતી મુજબ, હુમલાખોરો માંથી એક આરોપી બુટલેગર પણ છે. અને સાથે જ પાસા પણ કાપી ચૂકેલો છે. અને આ હુમલો આરોપીઓએ જૂની કોઈ અદાવતને ધ્યાનમાં રાખીને કર્યો હોવાનું જાણવા મળેલ છે.

જમિલ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વસીમ અને રીઝવાન કરીને આ બંને શકશો એ તેમને પાછળના ભાગે થી હુમલો કર્યો હતો. જેમાં તેમને હાથમાં અને પગના ભાગે ઈજાઓ પહોચી છે. હાલ આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

(1:35 pm IST)