News of Friday, 3rd July 2020
અંબાજી ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા મોકલાશે
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો શક્તિપીઠ મા અંબાના ધામમાં આવ્યા
અંબાજી : ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામ મંદિરનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. જે અંતર્ગત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આખા દેશની પવિત્ર નદીઓના જળ લાવવાનો તેમજ તીર્થ સ્થળોની માટી લાવવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો શક્તિપીઠ મા અંબાના ધામમાં આવ્યા હતા અને અહીંથી માટી તેમજ પવિત્ર જળ પૂજા અર્ચના કરી તેમજ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લઈ જવામાં આવ્યુ.હતું
(1:08 am IST)