ગુજરાત
News of Wednesday, 3rd June 2020

કેબીનેટમાં કોરોના, વાવાઝોડુ, મહેસુલી બાબતોની ચર્ચાઃ બધા જિલ્લામાં એલર્ટ

ગાંધીનગર તા. ૩: રાજયમંત્રી મંડળની બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે લાંબા સમય બાદ કેબિનેટ બેઠક રૂબરૂ મળી હતી. આજની બેઠકમાં થયેલ ચર્ચા અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયમાં કોરોના, વાવાઝોડુ અને મહેસુલ વિભાગની ચર્ચા કરવામાં આવી હતી.

રાજયના મહેસુલ સચિવ પંકજકુમારે મહેસુલ વિભાગની વિગતો આપી હતી. જેમાં વાવાઝોડા અંગે લેવામાં આવેલ પગલાઓની વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, નિસર્ગ વાવાઝોડાના કારણે સાગર કાંઠાના તમામ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રભારી સચિવો, કલેકટરો અને રાજયના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી ચર્ચાઓ કરી વિગતોની આપલે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

(4:20 pm IST)