કેવડિયા ફેંસીંગ મુદ્દે આજે પણ આદિવાસીઓ નો ભારે વિરોધ: એક આધેડ વ્યક્તિનો ત્મવિલોપન નો પ્રયાસ : નર્મદા ડેમ પાસે કેવડિયા માં ફેંસીંગ મામલે પોલીસ સાથે ગ્રામજનો નું ઘર્ષણ : એક આધેડે આત્મ વિલોપન નો પ્રયાસ કરતા પોલીસે અટક કરી
છ ગામમાં ફૅન્સીન્ગ મામલે ગ્રામજનો નો વિરોધ દસ દિવસે પણ યથાવત રહેતા કેવડિયા ગામમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન એક ગ્રામજને આત્મવિલોપન નો પ્રયાસ કરતા ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા: કેવડિયા ગામ માં તંત્ર દ્વારા આજે પોલીસે કાફલા સાથે ગામ માં પહોંચી કામ શરુ કરાતા કામને અટકાવવા મોટી સંખ્યા માં લોકો એકત્ર થતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું દરમ્યાન નટવરભાઈ કાંતિ તડવી નામના એક ગ્રામજને આત્મ વિલોપન નો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.સાથે સાથે એક યુવાન ને પણ ઇજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ માં ખસેડાયો હતો.
ગતરોજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ ગામોની મુલાકાત લીધી હતી ત્યારે આ છ ગામના લોકોની મુલાકાત દરમિયાન આદિવાસીઓની જમીન સરકાર પચાવી પાડતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.ત્યારે આજે ફરી આ બાબતે ઘર્ષણ થતા ગામના નટવરભાઈ કાંતિ તડવી નામના એક આધેડ વ્યક્તિ એ પોતાના ઉપર કેરોસીન નાખી આત્મહત્યા નો પ્રયાસ કર્યો જેમાં તેમની જમીન સંપાદન ન થઈ હોવાનો આધેડે આક્ષેપ કર્યો હતો. આત્મવિલોપન નો પ્રયાસ કરનારા આ વ્યક્તિની પોલીસે અટકાયત કરી કેવડીયા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા ત્યારે આશ્ચર્ય એ વાત નું છે કે ચારે તરફ થી ફૅન્સીન્ગ કામ નો વિરોધ થઇ રહ્યો હોવા છતાં સરકાર દ્વારા કેમ કોઈ સુખદ ઉકેલ લાવવા ને બદલે કામ ચાલુ રખાયું હોય તેવા સંજોગોમાં બેઠક કરી કોઈ વચલો માર્ગ કાઢી સરકારે આ ઘર્ષણ ને અટકાવવું રહ્યું.