News of Monday, 3rd May 2021
ધાંગ્રધ્રા -પાટડી વચ્ચે ગમખ્વાર અકસ્માત : રાજપૂત યુવાન રાજદીપસિંહ જાડેજાનું કરૂણમોત
પત્ની અને સંતાનોને કચ્છમાં સાસરે મૂકી પરત ફરતા રસ્તામાં ફોર્ચ્યુન કાર પલ્ટી મારી જતા પરિવારનો એક્ના એક પુત્રનું કરૂણમોત : અરેરાટી
રાજકોટ : આજે બપોરે ધાંગ્રધ્રા -પાટડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજપૂત યુવાન રાજદીપસિંહ અજયસિંહ જાડેજા( કડી -મહેસાણા )નું કરૂણમોત નીપજ્યું હતું,
રાજપૂત યુવાન તેમના પત્ની અને સંતાનોને કચ્છમાં સાસરે મૂકી પરત ફરતા હતા ત્યારે ધાંગ્રધ્રા -પાટડી વચ્ચે રસ્તામાં ફોર્ચ્યુન કાર પલ્ટી મારી જતા પરિવારનો એક્ના એક પુત્રનું કરૂણમોત : અરેરાટી ફેલાઈ છે
ભોગ બનનાર યુવાનના પિતા અજયસિંહ જાડેજા કડી રાજકીય-સામાજિક વર્ચસ્વ ધરાવે છે, એકના એક પુત્રની મૃત્યુ નિપજતા ભારે શોક છવાયો છે
(10:32 pm IST)