News of Friday, 3rd May 2019
નર્મદા વિભાગના ૪ અધિક્ષકને મુખ્ય ઇજનેર પદે બઢતી
રાજકોટ તા. ૩ : રાજ્ય સરકારે નર્મદા જળસંપતી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ૪ અધિક્ષક ઇજનેરને મુખ્ય ઇજનેર તરીકે બઢતી આપી છે. જેમાં એમ.બી.જોષીને સરદાર સરોવર નિગમમાં, પી.કે.દવેને વિભાગમાં (પંચાયત)માં બી.એસ.પટેલને જળ જમીન વ્યવસ્થાપન, આણંદ અને ડી.બી.વ્યાસને ઇજનેરી સ્ટાફ ટ્રેનીંગ કોલેજમાંથી વિભાગના મુખ્ય ઇજનેર (પંચાયત) તરીકે નિમણુંક આપવામાં આવી છે.
(12:25 pm IST)