વડોદરાના તાંદલજા વિસ્તારમા મોટી બહેન ઘર છોડીને ચાલી જતા નાની બહેને આપઘાત કરી મોતને વ્હાલું કર્યું
વડોદરા.તાંદલજા વિસ્તારમાં મામાના ઘરે રહેતી યુવતીને તેનો પતિ પુનાથી તેડવા માટે આવવાનો હતો.પરંતુ,તે પૂર્વે જ યુવતી ઘર છોડીને જતી રહેતા તેની નાની બહેનને લાગી આવ્યુ હતું.અને ઘરના પ્રથમ માળે જઇને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
માતાના અવસાન પછી પિતાએ બીજા લગ્ન કરી લેતા બે પુત્રીઓ મામાના ઘરે તાંદલજામાં રહેતી હતી.અને મામા જ બંને ભાણીઓનો ઉછેર કરતા હતા.બે બહેનો પૈકી મોટી બહેનના લગ્ન પુનામાં રહેતા યુવક સાથે થયા હતા.હાલમાં તે મામાના ઘરે આવીને રહેતી હતી.દરમિયાન,યુવતીને તેડવા માટે તેનો પતિ પુનાથી આવવાનો હતો.પરંતુ,પતિ તેડવા આવે તે પહેલા જ અગમ્ય કારણોસર પત્ની કોઇને કશું કહ્યા વિના જ ઘરેથી જતી રહી હતી.મોટી બહેન ઘરેથી જતી રહેતા નાની બહેનને મનમાં લાગી આવ્યુ હતું.અને આજે સવારે મકાનના ઉપરના માળે જઇ રૃમનો દરવાજો અંદરથી બંધ કરીને છત પર હુકમાં ઓઢણી બાંધી નીચે ટેબલ ગોઠવીને ફાંસો ખાઇ લીધો હતો.