News of Saturday, 3rd March 2018
રાજ્યમાં ધુળેટી પર્વે ડૂબી જતા 10 લોકોના મોત
સુરતના તાપીમાં ડૂબવાથી 3ના મોત :પોઇચામાં 2 લોકો, નાળિયડના સલૂન ગામે ડૂબવાથી 2 અને ઠાસરામાં 3ના મોત
અમદાવાદ ;રાજ્યમાં ધુળેટી પર્વ દરમિયાન ડૂબી જવાથી 10 લોકોના મોત નિપજ્યા છે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ 4 સ્થળોએ ડૂબવાથી મોતની ઘટનાઓ બની છે. જેમાં સુરતમાં તાપી નદીમાં ડુબવાથી 3 લોકોના મોત થયા છે. જ્યારે પોઈચા પાસે ડુબવાથી 2 લોકોના મોત નિપજ્યા છે.જયારે નડિયાદમાં સલુન ગામે ડુબવાથી 2ના મોત થયા છે અને ઠાસરામાં ડુબી જવાથી 3ના મોત થયા છે
. ઠાસરામાં ત્રણેય યુવકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ધુળેટી રમ્યા બાદ આ યુવકો ન્હાવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
(9:18 am IST)