રાજપીપળા APMC ખાતે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઇ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એ પી એમ સી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય સંગઠન મંત્રી ગોપાલજી દ્વારા શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી. હતી
આ બેઠક પૂર્ણ થયા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમર્પણ નિધિ માં ઘનશ્યામભાઈ પટેલ દ્વારા બે લાખ એકાવન હજારનુ અનુદાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને કરવામાં આવ્યું સાથે સાથે અહીં ઉપસ્થિત ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા અને ભરૂચ જિલ્લાની જનતાને આ નિધિ સમર્પણ અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનું આહ્વાન કરતા જણાવ્યું હતું કે નાનામાં નાનો માણસ પણ આ મંદિર નિર્માણ માં પોતાની નિધિ સમર્પણ કરે. સાથે એમણે એક ઉદાહરણ આપ્યું કે જ્યારે શ્રી રામ દ્વારા રામસેતુનું નિર્માણ થઇ રહ્યું હતું ત્યારે દરેક જાનવરો દ્વારા પોતાનું એક યોગદાન આપવામાં આવ્યું એક નાનકડી ખિસકોલી જ્યારે કશું ના કરી શકી ત્યારે ખિસકોલીએ પોતાને રેતીમાં આરોટી ને ને પોતાના શરીર ઉપર રેતી લઈ સેતુ નિર્માણમાં પોતાનો સહયોગ આપ્યો હતો તેવી જ રીતે દરેક હિન્દુઓએ પોતાનો સહયોગ આપવો જોઈએ