અગમ્ય કારણોસર ડભાણમાં પરિણીત યુવકે ક્રેઈન પર લટકી ફાસો ખાધો
નડિયાદના: ડભાણ ગામે રહેતા એક પરીણિત યુવકે કોઈ અગમ્ય કારણોસર ક્રેઈન ઉપર લોખંડની સાંકળ બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.આ બનાવ અંગે નડિયાદ રૃરલ પોલીસ અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
તાલુકાના ડભાણ ગામે નેશનલ હાઈવે નં.૮ ઉપર દિપકભાઈ કૈલાશભાઈ શર્મા (ઉં.વ.૩૨) રહેતા હતા. તેઓ પોતે ડ્રમ અને લોખંડના રોલ બનાવવાની ફેક્ટરી પોતાના ઘર આંગણે ચલાવે છે. ગત્ ૩૧મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે દિપકભાઈએ પોતાના ઘરે એકલા હતા.
આ દરમ્યાન પોતાના ઘર પાસે પાર્ક કરેલ ક્રેઈન ઉપર લોખંડની સાંકળ લગાવી પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઈ લીધો હતો. દિપકે પોતે ક્રેઈનને રીમોર્ટ વડે ઉંચી કરી જાતે આપઘાત કર્યો હતો. આ બનાવ બાદ તેના પરિવારજનોએ તુરંત દિપકને ક્રેઈન ઉપરથી ઉતારી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ર્ડાક્ટરે દિપકને મૃત જાહેર કર્યો હતો. ર્ડાક્ટરની ફરિયાદના આધારે નડિયાદ રૃરલ પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે મરનાર દિપક પોતે પરીણિત છે. અને તેને સંતાનમાં એક દિકરો અને દિકરી છે. વધુમા આ યુવકના પિતાએ તાજેતરમાં ડભાણ ગામમાં બ્રહ્મભોજન કરાયુ હતું.