News of Wednesday, 2nd December 2020
૩૫માં વર્ષે વિરમગામ થી અંબાજી પગપાળા સંઘે પ્રસ્થાન કર્યુ
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ સુથારફળીમાં રહેતા સ્વ.મણિલાલ વિશ્વનાથ પંડ્યાના નિવાસસ્થાને થી છેલ્લાં ૩૪ વર્ષ થી કારતકી પૂનમે પગપાળા સંઘ અંબાજી જાય છે. આ વર્ષે કારતક સુદ નોમ ને સોમવારે તા.૨૩-૧૧-૨૦૨૦ના રોજ સતત ૩૫માં વર્ષે ભરતભાઈ અને દિનેશભાઈ મણિલાલ પંડ્યા સહિતના શ્રધ્ધાળુઓ સાથે પગપાળા સંઘે અંબાજી જવા પ્રયાણ કર્યુ હતું. પરિવારના મહિલા સભ્ય મનીષાબેન દિનેશભાઈ પંડ્યાનું સંઘના આયોજનમાં નોંધપાત્ર યોગદાન રહે છે.
(5:37 pm IST)