આણંદ નજીક બાકરોલમાં પરિણીતાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર નરાધમ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આણંદ:નજીક આવેલા બાકરોલ ગામે એક પરિણીતાની આબરૂ લેવાનો પ્રયાસ કરીને તેણીને તેમજ વચ્ચે પડનાર તેણીના સસરાને માર મારીને હાથે બચકું ભરી લેતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ૩૨ વર્ષીય પરિણીતા ગઈકાલે સવોરના પોણા અગિયાર વાગ્યાના સુમારે પોતાના ઘરના ધાબા ઉપર કપડાં સુકવતી હતી ત્યારે નજીકમાં જ રહેતો રાકેશભાઈ બાબુભાઈ ખાંટ આવી ચઢ્યો હતો અને તેણીને પાછળથી પકડીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતા બળ વાપરીને તેની ચુંગાલમાંથી છૂટી ગઈ હતી અને બૂમાબૂમ કરતાં રાકેશે તેણીના વાળ પકડીને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કર્યું હતુ. બૂમાબૂમ સાંભળીને તેણીના સસરા આવી જતાં રાકેશે તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને ડાબા હાથે બચકું ભરી લીધું હતુ અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.