ગુજરાત
News of Wednesday, 2nd December 2020

અમદાવાદના ચાંદખેડામાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થતા પરિવારજનો વિફર્યા : ઉગ્ર બોલાચાલી : તોડફોડ

હોસ્પિટલ સ્ટાફે રજા આપવાનું જણાવેલ : પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા તો નિધનના સમાચાર સાંભળી રોષે ભરાયા

અમદાવાદ: શહેરના ચાંદખેડા બસ સ્ટેન્ડ નજીક આવેલી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થતાં તેના પરિવારજનોએ તોડફોડ કરી છે.

આ અંગે મળતી વિગત મુજબ ચાંદખેડાની TLGH હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ છે ત્યાં દાણીલીમડામાં રહેતા 36 વર્ષના અમિત કાપડિયા કોરોનાની સારવાર (Corona Treatment) લઈ રહ્યાં હતા. જ્યાં તેમના સારવાર બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જણાતા હોસ્પિટલના સ્ટાફે મંગળવારે રજા આપવાનું જણાવ્યું હતું

જો કે પરિવારના સભ્યો અમિતભાઈને ઘરે લઈ જવા માટે આવ્યા, ત્યારે હોસ્પિટલ સ્ટાફે તેમના અવસાનના સમાચાર આપતા દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા. અમિતભાઈના પરિવારજનોની હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતા. જે બાદ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

(11:39 am IST)