મહુધા તાલુકાના મહિસામાં દારૂડિયા યુવકે વિધવા માસી પર અગમ્ય કારણોસર ધારિયાથી જીવલેણ હુમલો કરતા ચકચાર
મહુધા: તાલુકાના મહીસામાં આવેલ રબારીવાસ વિસ્તારમાં રહેતાં વિનુબેન અશોકભાઈ પરમાર વિધવા છે. તેમનો પુત્ર દિલીપ મિલેટ્રીમાં નોકરી કરતો હોઈ વિનુબેન હાલ તેમની પુત્રવધુ સુમિત્રાબેન સાથે કઠલાલમાં રહેવા ચાલી ગયાં છે. અને તેઓ વાર-તહેવાર તેમજ અન્ય દિવસોમાં મહીસા આવી એક-બે દિવસ રહે છે.
ગત રવિવારના રોજથી નવરાત્રીનો પ્રારંભ થતો હોઈ તે દિવસે સાંજે મહિસા ગામેથી અંબાજી લકઝરી બસ ઉપડવાની હતી. વિનુબેનને અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા જવુ હોઈ તેઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું. અને તે દિવસે સવારે કઠલાલથી નીકળી મહીસા ગયાં હતાં. બપોરે ત્રણ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા તે વખતે ગામમાં જ રહેતાં તેમના બહેન મધુબેનનો પુત્ર વિજયભાઈ કાળીદાસ પરમાર દારૂ પીધેલી હાલતમાં વિનુબેનના ઘર આગળ આવી ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો.