News of Tuesday, 2nd October 2018
અમદાવાદના નારોલમાં અતિથિ ફ્લેટમાં દીવાલ ધરાશાયી :પાંચ બાળકો દટાયા:એકનું કરૂણમોત
કંપાઉન્ડ વોલ ધરાશાયીથતા દીવાલનો દરવાજો પણ નીચે પટકાયો
અમદાવાદમાં ફરીવાર ગંભીર દુર્ઘટના બની છે. જેમાં દિવાલ ધરાશાયી થતા એક બાળકનું મોત નીપજ્યું છે નારોલના અતિથિ ફલેટ્સની એક દિવાલ ધરાશાયી થઇ જેમાં પાંચ બાળકો દટાયા હતા. જેમાંથી એક બાળકનું મોત થયું છે જ્યારે ઇજા પામેલા અન્ય 4 બાળકોને હોસ્પિટલ ખસેડાયા છે.
આ ઘટનામાં અતિથિ ફલેટ્સની કંપાઉન્ડ વોલ ધરાશાયી થઇ છે. જે દિવાલ પર લાગેલો દરવાજો પણ નીચે પટકાયો હતો. આ ગંભીર ઘટનાને લઇને અતિથિ ફલેટ્સની દિવાલના બાંધકામની કામગીરીને લઇને પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.
(11:27 pm IST)