ગુજરાત
News of Tuesday, 2nd October 2018

ગુજરાત વિદ્યાપીઠ પાસેના ગ્રામશીલ પહોંચ્યા મુખ્યમંત્રી રૂપાણી

વિવિધ પેટર્ન અંગે માહિતી મેળવી :લોકોને ખાદી પહેરવા કર્યું આહવાન

 

અમદાવાદ :અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલા ગ્રામશિલ્પ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા હતા. તેઓ પત્ની અંજલીબહેન રૂપાણી સાથે ગ્રામ શિલ્પ ખાતે જઈને વિવિધ પેટર્નની ખાદી અંગે માહિતી મેળવી હતી.

  સોલાર ખાદી, પી- ખાદી, ડેનીમ ખાદી વગેરે ખાદીની વિશેષતાની માહિતી મેળવી હતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે જિલ્લા કલેકટર, ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા ગાંધીને પ્રિય હતી. ત્યારે લોકોને ખાદી ખરીદી પહેરવા તેઓએ આહ્વાન ક્રયુ હતુ.

(10:43 pm IST)