વિરમગામ શહેર ભાજપ દ્વારા સાર્વજનિક સ્મશાન શિવ મહેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયુ
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ શહેર ભાજપની ટીમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિને વિરમગામ સાર્વજનિક સ્મશાન ( શિવમહેલ) ૬૫ વૃક્ષોનુ રોપણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી અને વિરમગામ નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નવદીપભાઈ ડોડીયા, વિરમગામ શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, મહામંત્રી હિતેશભાઈ મુનસરા, મહિલા મોરચાના પ્રમુખ હસુમતીબેન પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ મિતેશભાઇ આચાર્ય, યુવા મોરચાના મહામંત્રી હિરેનભાઈ પટેલ, કીશાન મોરચાના પ્રમુખ હસમુખભાઇ પટેલ, શક્તિ કેન્દ્ર ૯ ના ઈન્ચાર્જ રધુભાઈ અલગોતર, નગરપાલિકાના સભ્ય નિલેશભાઈ ચૌહાણ અને વિરમગામ સાર્વજનિક સ્મશાન (શિવમહેલ)ના આગેવાનો બીરજુભાઇ ગુપ્તા, અંબાલાલ પટેલ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.