હરિનવમીના પુનિત પર્વે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં નિલકંઠ વર્ણી અને ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર પૂજન :પયોભિષેક
અમદાવાદ તા.2: કોરોના મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોક-ડાઉન હોવાથી, હરિભકતોની ઉપસ્થિતિ વિના, કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં, એસજીવીપી ગુરુુકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, જેષ્ઠ માસની શુદિ હરિ નવમીએ વૈદિક વિધિ સહિત ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર પૂજન, દિવ્ય રાજોપચાર વિધિ તથા સર્વમંગલ સ્તોત્રની નામાવલિ સાથે તુલસી દલથી ઘનશ્યામ મહારાજનું પૂજન અને અભિષેક કરવામાં આવેલ.
ત્યારબાદ નિલકંઠ વર્ણી, ઘનશ્યામ મહારાજને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ દૂધ અને કેસર મિશ્રિત જળથી અભિષેક કર્યો હતો.