કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સાત પીઆઇની આંતરિક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશ્નર
સુરત : કોરોનાના કહેર વચ્ચે સુરતમાં 7 પોલીસ ઈન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પોલીસ ઈન્સપેક્ટર આર.બી.બ્રહ્મભટ્ટએ બદલીનો નિર્ણય લીધો છે.
સુરતમાં 7 પોલીસ ઇન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં પાંડેસરાના PI ડી.કે પટેલને ટ્રાફિકનો હવાલો સોંપવામાં આવ્યો છે. મિસિંગ સેલના PI ડી.એસ કોરાટને પાંડેસરાની જવાબદારી સોંપવામાં આવી છે. સરથાણા PI ટી.આર ચૌધરીને વિશેષ શાખામાં મુકવામાં આવ્યા છે. ટ્રાફિક શાખાના PI બી.સી સોલંકીને સરથાણાની જવાબદારી સોંપાઇ છે. જહાંગીરપુર પોસ્ટના PI બી.એમ પાટીદારની ટ્રાફિક શાખામાં નિમણૂક કરાઈ છે. પાંડેસરાના PI આર.એમ વસોયાને હજીરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. હજીરા પોસ્ટના PI વી.બી દેસાઈને જહાંગીરપુરાની જવાબદારી સોંપાઇ છે.