અમદાવાદના જગન્નાથ મંદિરના પટાંગણમાં કાર લાવવાની મનાઇ હોવા છતાં અંદર આવેલી કારની નીચે કચડાઇ જતા ૩ વર્ષની બાળાનું મોત
અમદાવાદઃ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના પટાંગણમાં એક બાળકીનું મોત નિપજ્તા સનસનાટી વ્યાપી ગઈ છે. બાળકી મંદિરના પટાંગણમાં રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.
ઘટનાની વિગત અનુસાર મંદિરમાં કામ કરતા કર્મચારીનું બાળક મંદિરના પ્રાંગણમાં રમી રહ્યું હતું. તે દરમિયાન કાર રિવર્સ લેવા બાળકી કાર નીચે કચડાઈ હતી. અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બાળકી 3 વર્ષની છે. જે મંદિરના પ્રાંગણમાં રમી રહી હતી. આ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં બની છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મહત્વનું છે કે મંદિરના પ્રાંગણમાં કોઈ પણ કારને અંદર આવવાની શખ્ત મનાઈ હોય છે. પરંતુ આ કારચાલક મંદિરમાં કાર લઈને આવ્યો હતો અને પાર્ક કરતી વખતે ગાડીને રિવર્સમાં લેતા સમયે બાળકીનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તો આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.