વાસદના ઢોલુબરમાં મજૂરો સાથે ટ્રક પલટાતા 8ને ઇજા
વાંસદા:ગણદેવી શુગરના શેરડી કામના પૈસા લઇને પરત ફરતા મજુરોની ટ્રક પલટતાં ઢોલુંમ્બર ગામના સરપંચ સુમન દેશમુખ ઘટનાસ્થળે પહોંચી ૧૦૮માં વાંસદા કોટેજમાં સારવાર માટે ખસેડાયા હતા. વાંસદા તાલુકાના ઢોલુમ્બર ગામ પાસેથી તા. ૩૦મીએ ગણદેવી શુગરના મજુર નૌગામાથી હિસાબ લઇને ફરત ફરી રહ્યાં હતા ત્યારે ટ્રક નંબર જીજે-૨૧-ટી- ૪૬૫૬ રોડ સાઇડ ઉપર પલ્ટી જતાં ટ્રકમાં સવાર મજુર ફેંકાઇ જતાં મજુરોને ઇજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર આપી હતી. જ્યારે એક મહિલા નીલાબેન ઇશ્વરભાઇ કોટવાળીયા ઉંમર- ૩૫ વર્ષ રહે. ઢોલુમ્બરને છાતીના ભાગે ઇજાઓ થતાં વાંસદા વધુ સારવાર માટે રીફર કરાયા હતા. બીજા મુજરોને નાનીમોટી ઇજાઓ થતાં સારવાર આપી હતી. આ લખાય ત્યાં સુધી આ અકસ્માતની ફરિયાદ વાંસદા પોલીસ મથકે નોંધાવી ન હતી. તમામ મજુરો ઢોલુમ્બર, વઘઇ, દુબળ ફળિયા, કાંટસવેલ, ગણદેવીના હતા.