News of Wednesday, 2nd May 2018
નડિયાદના જવાહરનગરમાં નજીવી બાબતે ઝઘડો થતા જાનથી મારી નાખવાની ધમકી
નડિયાદ:જવાહરનગરમાં ગુજરાત હાઉસીંગના મકાનમાં મનોજભાઈ મોતીરામ ગુરુ પરિવાર સાથે રહે છે. મનોજભાઈ ગુરુ પાસેથી ભઈલુ તળપદા પેનડ્રાઈવ લઈ ગયો હતો. આ પેનડ્રાઈવ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની રીસ રાખી ભઈલુ તળપદા ગાળો બોલતા ઝઘડો ઉગ્ર બન્યો હતો.
જેમાં ભઈલુ તળપદાએ મનોજભાઈને ધારીયું મારી ઈજા કરી હતી. જ્યારે રાહુલ વિઠ્ઠલ તળપદાએ લાકડાનો ડંડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે મનોજભાઈ ગુરુની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ભઈલુ તળપદા તથા રાહુલ તળપદા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(5:33 pm IST)