પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પરાગ પરીખ લિકિવડ ફંડ લોન્ચ
અમદાવાદઃ પરાગ પરીખ ફાઈનાન્શિયલ એડવાઈઝરી સર્તિસીસ પ્રા.લિ દ્વારા પ્રાયોજિત પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડે નવી યોજના પરાગ પરીખ લિકિવટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. યોજનાનો રોકાણ હેતુ નાણાં બજાર અને ડેબ્ટ સાધનોમાં ૦-૨૦ ટકા રોકાણ કરશે. યોજનામાં લઘુતમ આરંભિક રોકાણ રૂ.૫૦૦૦ રહેશે અને લઘુતમ વધારાની ખરીદી રૂ.૧૦૦૦ રહેશે.
યોજના ૯ મે ના રોજ ફરીથી ખુલવાનું નિર્ધારિત છે. પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડના ચેરમેન અને સીઈઓ નીલ પરાગ પરીખે જણાવ્યું હતું કે અમને પ્રવાહી યોજનાઓની જરૂર માટે અમારા રોકાણકારો અને ભાગીદારો પાસેથી સતત ફીડબેક પ્રાપ્ત થઈ રહયો છે. જે તેમને મોજૂદ ફલેગશિપ ઈકિવટી યોજના પરાગ પરીખ લોંગ ટર્મ ઈકિવટી ફંડમાં એસટીપી માર્ગે લેણદેણ કરવા અને રોકાણ કરવામાં મદદરૂપ થશે.