News of Wednesday, 2nd May 2018
જળસંચયના નામે સરકારનો નિષ્ફળતા છુપાવવા પ્રયાસ :પરેશ ધાનાણી
ચૂંટણી સમયે પાણીનો વેડફાટ કર્યો હવે તિજોરી લૂંટવાનું અભિયાન ;કેનાલમાં કામો બાકી
અમદાવાદ :વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે 'સરકાર 22 વર્ષથી લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગઇ છે." પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જળ સંચયનાં નામે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રયાસ કરી રહી છે
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારનાં પાણી બચાવવાનાં અને નદી, તળાવ અને ચેકડેમને ઊંડા કરવાનાં કાર્યને લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ ગણાવી છે. તેમણે કહ્યું કે, "ચુંટણી સમયે પાણીનો વેડફાટ કર્યો હતો. આ અભિયાન સરકારી તિજોરી લૂંટવાનું અભિયાન છે. હજુ પણ નર્મદા કેનાલનાં કામો બાકી છે.'
(9:36 pm IST)